નજીવા ગુનાની બાબતમાં ખાસ સમન્સ - કલમ : 229

નજીવા ગુનાની બાબતમાં ખાસ સમન્સ

(૧) નજીવા ગુનાની વિચારણા શરૂ કરતા મેજિસ્ટ્રેટનો અભિપ્રાય એવો થાય કે કલમો-૨૮૩ અથવા કલમ-૨૮૪ હેઠળ કેસનો સંક્ષિપ્ત રીતે નિકાલ થઈ શકે તેમ છે તો મેજિસ્ટ્રેટ લેખિત નોંધાલા કારણોસર પોતાનો તેથી વિરૂધ્ધનો અભિપ્રાય હોય તો તે સિવાય નિદિષ્ટ તારીખે મેજિસ્ટ્રેટ સમક્ષ જાતે કે વકીલ મારફત હાજર રહેવા અથવા મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થયા વિના ત્હોમત માટે દોષિત હોવાનું કબૂલ કરવા માંગતો હોય તો નિદિષ્ટ તારીખ પહેલા મેજિસ્ટ્રેટને ટપાલ કે સંદેશાવાહક દ્રારા સદરહુ લેખિત કબૂલાત અને સમન્સમાં જણાવેલા દંડની રકમ મોકલવાનું અથવા જો તે વકીલ મારફત હાજર થવા અને તે વકીલ મારફત ત્હોમત માટે દોષિત હોવાની કબૂલાત કરવા માંગતો હોય તો પોતાના ઉપરના ત્હોમતની પોતાના વતી કબૂલાત કરવા માટે વકીલને અધિકારપત્ર આપવાનું અને તે વકીલ મારફત દંડ ભરવાનું ફરમાવતો સમન્સ આરોપી ઉપર કાઢવો જોઇશે. પરંતુ એવા સમન્સમાં નિદિષ્ટ દંડની રકમ પાંચ હજાર રૂપિયા કરતા વધુ કરી શકશે નહી.

(૨) આ કલમના હેતુઓ માટે નજીવો ગુનો એટલે પાંચ હજાર રૂપિયા સુધીના દંડને કે શિક્ષાને પાત્ર કોઇપણ ગુનો પરંતુ તેમા મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ (૧૯૮૮નો ૫૯મો) હેઠળના અથવા ગુનાની કબૂલાત ઉપરથી આરોપીને તેની ગેરહાજરીમાં દોષિત ઠરાવવા માટેની જોગવાઇ કરતા બીજા કોઇપણ કાયદા હેઠળના એવી શિક્ષાને પાત્ર કોઇ ગુનાનો સમાવેશ થતો નથી.

(૩) રાજય સરકાર જાહેરનામાંથી કલમ-૩૫૯ હેઠળ માંડવાળ કરી શકાય તેવા કોઇપણ ગુનાના અથવા ત્રણ મહિના કરતા વધુ ન હોય તેટલી મુદતની કેદની અથવા દંડની અથવા એ બંનેની શિક્ષાને પાત્ર જે ગુના માટે મેજીસ્ટ્રેટનો અભિપ્રાય એવો થાય કે કેસની હકીકતો તથા સંજોગો ધ્યાનમાં લેતા ફકત દંડ કરવાથી ન્યાયનો હેતુ સરશે તે ગુનાના સબંધમાં પેટા કલમ (૧) થી મળેલી સતા વાપરવા કોઇપણ મેજિસ્ટ્રેટને ખાસ અધિકાર આપી શકશે.